Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

અંકલેશ્વરના નવા ધંતુરીયા ગામમાં પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા:પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો

પત્નીના ચારિત્ર વિશે ખોટો વહેમ રાખી ઝઘડો :ઉશ્કેરાયેલા રણજીત વસાવાએ ઉપરાછાપરી કુહાડીના ઘા ઝીંકી દેતા જ્યોત્સના બેનનું ઘટના સ્થળે જ મોત

અંકલેશ્વર તાલુકાના નવા ધંતુરીયા ગામમાં પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી  હત્યા કરી પતિ ફરાર થઇ ગયો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ફરાર  હત્યારા આરોપી પતિને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

 પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધંતુરીયા ગામ ખાતે રહેતી ૩૫ વર્ષીય જ્યોત્સનાબેન  રણજીત વસાવા પોતાના ઘરે હતી. તે દરમિયાન તેના પતિ રણજીત વસાવાએ પત્નીના ચારિત્ર વિશે ખોટો વહેમ રાખી ઝઘડો કર્યો હતો. આ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા રણજીત વસાવાએ જ્યોત્સના બેનને ઉપરાછાપરી કુહાડીના ઘા ઝીંકી દેતા જ્યોત્સના બેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પત્નીની હત્યા કરી  રણજીત  વસાવા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર હત્યારા પતિ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

 

(9:59 pm IST)