Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

જનસમુદાયની ભાવનાને સમજીને પક્ષને જીતાડવા કામે લાગી જાય: પાદરામાં સભા સંબોધતા રૂપાલા

વડોદરાના પાદરામાં ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાનો પ્રચાર કરવા આવેલા કેન્દ્રીય પ્રધાન પરષોત્તમભાઈ  રૂપાલાએ નારાજ કાર્યકરોને ચેતવણી આપી છે. તેમણે ગત રાત્રે પાદરાના નવાપુરામાં સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, જે પાર્ટી સાથે નહીં રહે તેને સમજાવવામાં આવશે અને નહીં માને તો તેની સામે પાર્ટી ધોરણસરની કાર્યવાહી કરશે. તેમણે કાર્યકરોને અપીલ કરતા કહ્યું કે જનસમુદાયની ભાવનાને સમજીને પક્ષને જીતાડવા કામે લાગી જાય. મહત્વનું છે કે પાદરા બેઠક પર ટિકિટ ન મળતાં પાર્ટીના ઘણા કાર્યકરો નારાજ હતા.

(7:12 pm IST)