Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

રાહુલ ગાંધીના પી.એ તરીકે ઓળખ આપી વડોદરાના નેતાઓને ટિકિટના નામે ઠગાઈ કરવા નીકળેલ આરોપી પંજાબથી ઝડપાયો 

- ઠગબાજ ટોળકીનો સાગરીત રજતકુમારે ધો.4 સુધી ભણેલો છે. અને શાકભાજીનો હોલસેલ વેપાર કરે છે:નેતાઓને ટિકિટની લોભામણી લાલચ આપી રૂપિયા પડાવતો

વડોદરા :ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ અને ત્યારબાદ તમામ રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની પણ જાહેરાત કરાઈ છે,ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાથી જ ટિકિટ વાંચ્છુકો પાર્ટીમાંથી પોતાના નામની ઉમેદવાર તરીકે જાહેરાત થાય તે માટે એડીચોટીનુ જોર લગાવી રહ્યાં હતા. તેવામાં વડોદરા શહેરના બે કોંગી નેતાઓને વિધાનસભાની ટિકિટ અપાવવાના બહાને તેમજ છેતરપીંડી કરવાના ઇરાદે ઠગ ઠગબાજ ટોળકી એક્ટિવ થઇ હતી. જોકે આ રાહુલ ગાંધીના પી.એ હોવાની ફોન પર ખોટી ઓળખ આપનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી દબોચી તેની પુછતાછ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, થોડા દિવસો પૂર્વે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા. ત્યારે ઠગબાજ ટોળકી ટિકિટ વાંચ્છુકોને છેતરવા માટે એક્ટિવ થઇ હતી. જેમાં વડોદરા શહેરના કોંગી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને વાઘોડીયા વિધાનસભાના કોંગ્રેસના દાવેદાર સત્યજીત ગાયકવાડને તેમના મોબાઇલ ઉપર રાત્રીના સમયે એક મેસેજ મળે છે.

 

આ મેસેજમાં લખવામાં આવ્યું હતુ કે, “THIS SAID KANISKA SINGH P.A TO RAHUL GANDHI PLEASE CALL ME”. ટિકિટ વિતરણ થવાને ગણતરીનો સમય બાકી હોય અને તેવા સમયે જો કોંગી નેતાઓને રાહુલ ગાંધીના પી.એ હોવાની ઓળખ આપતો મેસેજ આવે એટલે સ્વાભાવિક છે, તેને પ્રથમ દ્રષ્ટીએ કોઇ નકારે નહીં. આવું જ કંઇ આ નેતાઓ સાથે પણ બન્યું. પરંતુ તેમને ખ્યાલ આવી ગયો કે, આ કોઇ ફ્રોડ છે

આ અંગે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે વડોદરા સાયબર ક્રાઇમમાં ફરીયાદમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે પોલીસે આ ઠગબાજ ટોળકીને ઝડપી પાડવા કવાયત શરૂ કરી અને ફોન મેસેજ કરનારનુ લોકેશન અમૃતસર હોવાનુ સામે આવ્યું હતુ. જેથી સાયબર ક્રાઇમના પી.આઇ બી.એન પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ રાખોલીયા અને તેમની ટીમને પંજાબના અંમૃતસાર ખાતે રવાના કરવામાં આવી હતી. જ્યાં ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી વડોદરા સાયબર ક્રાઇમની કોંગી નેતાઓને રાહુલ ગાંધીની ખોટી આપનાર શખ્સ રજતકુમાર મદાન સુધી પહોંચી તેને દબોચી લેવામાં આવ્યો છે.

આમ, વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા અમૃતસરથી ટ્રાન્જીટ રીમાન્ડ મેળવી તેની પુછતાછ હાથ ધરી હતી. પુછતાછ દરમિયાન જાણવા મળ્યુ કે, ઠગબાજ ટોળકીનો સાગરીત રજતકુમારે ધો.4 સુધી અભ્યાસ કર્યો છે. અને શાકભાજીનો હોલસેલ વેપાર કરે છે. જે નેતાઓની ટિકિટની લોભામણી લાલચ આપી રૂપિયા પડાવતો અને બીજી એકાઉન્ટમાં ટ્રન્સફર કરતો હતો. આ પ્રકારના બીજા પણ બેન્ક એકાઉન્ટ ખોલી ઠગબાજી રૂપિયા તેમા ટ્રાન્સફર કરવામાં આવતા અને બદલામા કમિશન મળતુ પેટે રૂપિયા મળતા હતા. તથા બેન્ક એકાઉન્ટ ખોલી ઠગબાજ ટોળકીના સાગરીત ગૌરવ શર્માને આપતો હતો.

(6:39 pm IST)