Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ગુજરાતમાં ૬૨.૭૬ ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ : ૯૧.૮૫ ટકાએ એક ડોઝ લીધો

અમદાવાદ,તા. ૨૦ : રાજ્યમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરને મ્હાત આપવા માટે બધાની નજર વેકસીન ઉંપર છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩ કરોડથી વધુ નાગરીકોને કોવીડ રસીના બન્ને ડોઝ અપાઇ ચૂકયા છે. જો કે હજી પણ ૪.૯૩ કરોડ લોકોમાંથી ૪૦.૧૫ લાખ એવા છે જે જેમણે પહેલા ડોઝ પણ નથી લીધો.
આમ ગુજરાતમાં ૬૨.૭૬ ટકા લોકો સંપૂર્ણ રસીકરણ કરાવી ચૂક્યા છે. જ્યાર. ૪.૫૨ કરોડથી વધુ લોકો પહેલો ડોઝ લઇ ચૂકયા છે. જે ૯૧.૮૫ ટકા છે. રાજ્યમાં કોરોના વેકસીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ સમયસર ન લેનારની સંખ્યા પણ વધુ છે. એ કલા અમદાવાદમાં જ ૯.૩૦ લાખ લોકો બીજો ડોઝ લેવાનો બાકી છે. આ લોકો માટે કોર્પોરેશન દ્વારા અભિયાન ચલાવી વિવિધ જગ્યાએ પ્રવેશ ઉંપર પ્રતિબંધ લગાવ્યો છે.

 

(11:32 am IST)