Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

દહેજના મામલે મહેમદાવાદ તાલુકાના જીંજરની પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી સાસરિયાએ ઘરમાંથી કાઢી મુકતા પોલીસ ફરિયાદ

મહેમદાવાદ: તાલુકાના જીંજરની પરિણીતાને પતિ તેમજ સાસરીયાઓ દહેજની માંગણી કરી શારિરીક, માનસિક ત્રાસ આપતાં હતાં. ે પરિણીતા પિયરમાંથી ૫૦ હજાર રૂપિયા ના લઈ આવતાં સાસરીયાઓએ તેને કાઢી મુકી હતી અને તેના પિયરમાંથી લાવેલ દાગીના તેમજ સરસામાન પણ પરત આપ્યો ન હતો. આ બનાવ અંગે પરિણીતાએ પતિ તેમજ સાસરીયાઓ વિરૂધ્ધ મહુધા પોલીસમાં ફરીયાદ આપતાં પોલીસે આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના અલીણા ગામમાં રહેતાં ફરીદખાન અમીનખાન પઠાણની પુત્રી રીજવાનબાનુંના લગ્ન મહેમદાવાદ તાલુકાના જીજર ગામમાં રહેતાં સીરાજમીયાં બસરૂમીયાં મલેકના પુત્ર શાહિદમીયાં સાથે સન ૨૦૧૮માં જ્ઞાતિના રિતરિવાજ મુજબ થયાં હતાં. જે બાદ રીજવાનબાનું જીંજર ખાતે સાસરીમાં રહેતી હતી. જો કે લગ્ન બાદ ગણતરીના મહિનાઓમાં જ સાસરીયાઓએ રીજવાનબાનું વિરૂધ્ધ તેના પતિ શાહિદમીયાંને ચઢમણી કરવા લાગ્યાં હતાં. જેને લઈ નવપરિણીત દંપતી વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હતાં.

(6:04 pm IST)