Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

આણંદમાં ભાલેજ રોડ પરથી અગમ્ય કારણોસર બે યુવાન ગૂમ થઇ જતા પોલીસ ફરિયાદ

આણંદ: શહેરના ભાલેજ રોડ ઉપર આવેલી નયાવતન સોસાયટીમાં રહેતા ફિરોજભાઈ યુસુફભઆઈ વ્હોરા (ઉ. વ. ૩૦)ગત ૧૬મી તારીખના રોજ ઘરેથી નોકરી પર જાઉ છુ તેમ જણાવીને નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઈ ગયો હતો જ્યારે ઉમરેઠની હમીદપુરા સીમમાં આવેલી રતનપુરાવાળી ચોકડી પાસે રહેતો મંગળલાલ મણીલાલ વસાવા (ઉ. વ. ૪૦)ગત ૧૮મી તારીખના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી નીકળ્યો હતો. આ અંગે આણંદ શહેર અને ઉમરેઠ પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને શોધખોળ હાથ ઘરી છે. 

(4:59 pm IST)