Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ખેડૂતો માટે મોટી જાહેરાતની તૈયારી,અકસ્માતે મૃત્યુ વખતનો લાભ વધારાશે

રાજકોટ, તા. ૨૦ :. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ફાયદાકારક જાહેરાતની તૈયારી થઈ રહી છે. બે દિવસ અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિર્દેશ કરેલ તે મુજબ એકદમ ટૂંક સમયમાં જ ખેડૂતલક્ષી મહત્વની જાહેરાત થાય તેવી સંભાવના છે. હાલ અકસ્માતે ખેડૂતના મૃત્યુ વખતે અપાતા લાભના પ્રમાણમાં ધરખમ વધારો કરવાનું સરકારે નક્કી કર્યાનું જાણવા મળે છે. ખેડૂતો માટે અન્ય કેટલાક ફાયદાની વાત પણ આવી શકે છે.

કોંગ્રેસ અને હાર્દિક પટેલે ખેડૂતો માટે શરૂ કરેલી લડાઈના પડઘા રૂપે ખેડૂતલક્ષી જાહેરાત થવાના સંજોગો સર્જાયા છે. કોંગ્રેસની માંગણી દેવા નાબુદીની છે. તે માંગણી સરકાર સ્વીકારી શકે તેવી સ્થિતિ નથી.

(3:57 pm IST)