Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અમદાવાદના ઘાટલોડિયામાં પ્રસુતીવેળાએ મહિલાનું મોત નિપજતા પરિવારના સભ્યોએ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

અમદાવાદ:ઘાટલોડિયામાં રહેતી મહિલાનું પ્રસૂતિ દરમિયાન ઓપરેશન બાદ વધુ પ્રમાણમાંં લોહી વહી જતાં મહિલાનું મોત થયું હતું. ઘાટલોડિયાની શ્રધ્ધા મેટરનીટી એન્ડ નર્સીગ હોમમાં બાળકીના જન્મ બાદ તબિયત લથડતાં ડૉક્ટર રાજન પટેલે મહિલાને વાડીલાલ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એક વર્ષ પહેલા બનેલા બનાવમાં તબીબોના પ્રભિપ્રાય બાદ ડૉક્ટરની બેદરકારી છતી થતાં સોલા પોલીસે ડૉક્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે ઘાટલોડિયામાં જનતાનગર ક્રોસિંગ પાસે મહાશક્તિ નગરમાં રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય કરતા વિષ્ણુંભાઇ ઇશ્વરભાઇ દેસાઇએ સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, કે તેમની પત્ની ક્રિષ્નાબહેન સગર્ભા હોવાથી ગત તા. ૦૧-૦૯-૨૦૧૭ના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી શ્રધ્ધા મેટરનીટી એન્ડ નર્સીગ હોમમાં ડૉક્ટર રાજનભાઇ. વી.પટેલ ત્યાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને તાત્કાલીક દાખલ કરવામાં આવ્યા હતા.

(5:21 pm IST)