Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

નડિયાદ તાલુકા નજીક બાઈક ઝાડ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

નડિયાદ: તાલુકાના મરીડા રોડ ઉપર સામરખા મોટર સાયકલ ઝાડ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના મરીડામાં રહેતો અજય દિલીપસિંહ ચૌહાણ ગત તા. ૧૫-૮-૧૮ના રોજ મોટરસાયકલ લઈ રોડ પરથી જઈ રહ્યો હતો ત્યારે અચાનક ટાયર ફાટતા મોટરસાયકલ ધડાકા ભેર રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાયું હતું. જેથી બાઈક ચાલક અજય ચૌહાણને ગંભીર ઈજા થતા તુરંત જ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જ્યાં આજે સવારે અજયસિંહ ચૌહાણ (ઉંમર ૨૧ વર્ષ)નું મોત નીપજ્યું હતું. 
આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:20 pm IST)