Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પતિના ત્રાસથી કંટાળી ઉમરેઠના બેચરીની પરિણીતાએ નહેરમાં કૂદી જીવન ટૂંકાવ્યું

ઉમરેઠ: તાલુકાના બેચરી ગામે રહેતી એક પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી જઈને મોટી નહેરમાં પડીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ઉમરેઠ પોલીસે પતિ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ઠાસરા તાલુકાના જાલાનગર ખાતે રહેતા ફરિયાદી મોહનભાઈ ઈશ્વરભાઈ પરમારની પુત્રી ભાવનાબેન (ઉ. વ. ૨૪)ના લગ્ન સને ૨૦૧૫માં બેચરી ગામે રહેતા દશરથભાઈ રમણભાઈ વાઘેલા સાથે થયા હતા. શરૂમાં લગ્નજીવન સુખરૂપ ચાલ્યા બાદ પતિ દ્વારા ઘરના કામકાજ અંગે વાંધાવચકા ચાલુ કરી દીધા હતા. ત્યારબાદ પરિણીતા ઉપર શક વહેમ રાખીને તેણી ઉપર અસહ્ય શારીરીક અને માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. પરિણીતા રીસાઈને પોતાના પિયર ચાલી જતી હતી જ્યાંથી સમજાવટ બાદ પરત સાસરીમાં આવતી હતી. જો કે પતિના વલણમાં કોઈ ફરક ના પડતાં આખરે ગત ૧૯મી તારીખના રોજ સવારના સુમારે નહેરમાં પડીને આપઘાત કરી લીઘો હતો. 

(5:17 pm IST)