Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

એસ. ટી. કર્મચારીઓએ રામધૂન-દેખાવો ગુરૂવારથી યોજશેઃ રપ મીએ જેલ ભરોઃ ઉગ્ર લડતના મંડાણ

રાજકોટ તા. ર૦ :.. સાતમા પગાર પંચ સહિત મહત્વના ૮ થી ૧૦ મુખ્ય પ્રશ્નો અંગે રાજકોટ સહિત રાજયભરમાં એસ.ટી. કર્મચારીઓએ લડતના મંડાણ શરૂ કર્યા છે, અગાઉ ત્રણ દિવસ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવ્યા બાદ આજથી રામધુન-દેખાવો-સુત્રોચ્ચાર કરવાના હતા, પરંતુ વરસાદી માહોલને કારણે હવે તા. ર૩-ર૪ ના રોજ યોજશે, દરેક ડીવીઝન અને મુખ્ય ડેપો ઉપર આ કાર્યક્રમ યોજાશે, આમ છતાં તંત્ર દ્વારા વાટાઘાટ માટે નહી બોલાવાય તો રપ મીથી જેલભરો આંદોલન શરૂ કરાશે તેવી ચેતવણી  આપી છે, એસ. ટી. કર્મચારી યુનિયનો હવે ઉગ્ર લડતના મંડાણમાં આવી ગયા છે. (પ-૧૧)

(11:32 am IST)