Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

છોટાઉદેપુર :ગુજરાતની એસટી બસ ઉપર પથ્થરમારો : બે વિદ્યાર્થીઓને ઇજા :બસને નુકશાન

છોટાઉદેપુર : ગુજરાત અને મધ્ય પ્રદેશ સરહદી રાજ્ય ને જોડતી ગુજરાત રોડ ટ્રાંસપોરેશનની બસ પર મધ્ય પ્રદેશ બોર્ડર પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં બસમાં સવાર બે વિદ્યાર્થિનીઓને ઇજાઓ પહોંચી હતી. સાથે સાથે બસને નુકસાન પહોંચ્યું હતું

   અત્રે ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુરથી કઠીવાડા મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારને જોડતી આ બસ દિવસમાં ત્રણ વાર ટ્રીપ કરે છે. 

આ બસ ટ્રીપથી છોટાઉદેપુર જિલ્લા મથકે આવવા-જવા નાગરીકો અને વિધ્યાર્થીઓને સરળતા રહે છે. આ અગાઉ પણ આ બસ ઉપર તીર મારો કરવામાં આવ્યો હતો તેમાં ડ્રાયવર ઘાયલ થયો હતો.

(7:49 pm IST)