Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

વિરમગામ શહેરના યુવા ઉત્સાહી પત્રકાર ગોવિંદ પનારાને પિતૃ શોક, પિતા બચુભાઈ પનારાનું નિધન

પરિવારજનોની હાજરીમાં બચુભાઈ પનારાની અમદાવાદ ખાતે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા - વિરમગામ) દ્વારા :વિરમગામના યુવા ઉત્સાહી પત્રકાર ગોવિંદ પનારાના પિતાશ્રી બચુભાઈ મગનભાઈ પનારાનુ અષાઢ વદ તેરસને તારીખ:- ૧૮/ ૦૭/ ૨૦૨૦ને શનિવારના રોજ ટુંકી માંદગી બાદ દુઃખદ નિધન થયુ છે. પરિવારજનોની હાજરીમાં બચુભાઈ પનારાની અમદાવાદ ખાતે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવી હતી

  અત્રે ઉલ્લેખનિય છે કે, બચુભાઈ મગનભાઈ પનારાનો  તારીખ:- ૧૮/૦૭/૨૦૨૦ને શનિવારના રોજ દેહ પંચ મહાભુતોમાં વિલીન થયો હતો. વિરમગામના ભોજવા ગામમાં રહેતા બચુભાઈ મગનભાઈ પનારા રેલ્વેના નિવૃત કર્મચારી હતા અને નિવૃત્તિ બાદ પણ   ધાર્મિક, સમાજીક કાર્યો સાથે જોડાયેલા હતા. આપત્તિના સમયે તેઓ લોકોને મદદરૂપ બનવા માટે સદા તત્પર રહેતા હતા. તેઓના નિધનથી પનારા પરિવાર ઉપરાંત ભોજવા ગામમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે. વિરમગામના પત્રકાર ગોવિંદ પનારાના મોબાઇલ નંબરઃ- ૯૯૦૯૮૭૮૦૭૪ પર પર સબંધીઓ, જ્ઞાતિજનો, મિત્રો સહિતના લોકો સાંત્વના પાઠવી રહ્યા છે.

(8:46 am IST)