Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

નવા રાજુવાડીયા ગામના તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે કાર્યવાહી કરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવા રાજુવાડિયા ગામના તળાવ માંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર નવા રાજુવાડિયા ગામના સોમનાથ મહાદેવના મંદિર નજીક આવેલા તળાવમાંથી અજાણ્યા પુરૂષ (ઉ.વ ૩૦ થી ૩૫ )ના એ કાળા કલર નુ લોઅર પહેરેલ જે કોઇ કારણસર નવા રાજુવાડિયા ગામના તળાવના પાણીમાં ડુબી જતા મૃત હાલત માં મળી આવતા આ બાબતે ગામના ચીરાગભાઈ રમણભાઈ પટેલ એ આમલેથા પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી કરી છે.

(10:05 pm IST)