Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

વલસાડ જિલ્લામાં આજે પણ કોરોનાથી રાહત: ૫૨ નવા કેસો નોંધાયા :૭ દર્દીઓના કરુણ મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લામાં આજે કોરોનાથી થોડી રાહત જોવા મળી છે પરંતુ મૃત્તાંક માં ઘટાડો જોવા મળતો નથી.
   જીલ્લાના તાલુકા માં આજે એટલે કે ૨૦ મી મે નાં રોજ વલસાડ ૨૬, પારડી ૪, વાપી ૮, ઉમરગામ ૧૪ નવા કેસો નોંધાયા છે
  આજે એકજ દિવસ માં વધુ ૭ દર્દી ઓ ના વધુ મોત નીપજ્યા છે. જોકે આજે ૯૩ દર્દી ઓ કોરોના મુકત થઇ શક્યા છે.

(8:24 pm IST)