Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

અમદાવાદના ઇસનપુરમાં ઘરકંકાસમાં નિષ્ઠુર માતાએ ફૂલ જેવી દીકરીની હત્યા કરી નાખતા અરેરાટી મચી જવા પામી

અમદાવાદ: શહેરના ઈસનપુર ખાતે ઘરકંકાસમાં માતાએ પોતાની ફૂલ જેવી પુત્રીની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા દ્વારા જીવન ટૂંકાવ્યું હોવાની હૈયું હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ઈસનપુર પોલીસે હત્યા અને દુષ્પ્રેરણાની અલગ-અલગ ફરિયાદ નોંધી સાસરિયા પક્ષના ૬ લોકોની ધરપકડ કરી હતી.

ઇસનપુર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે માતા અને દોઢ વર્ષની દીકરીની ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી  તપાસ કરતા માતા નિમિષા સોલંકીએ દોઢ વર્ષની બાળકી મૈત્રીને ગળે ફાસો આપી હત્યા કરી દીધી અને બાદમાં માતા આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું હોવાનું સામે આવ્યું હતું. માતાનું આ પગલું ભરવા પાછળનું કારણ ઘર કંકાસ હતું. જેથી પરિણીતાના સાસરિયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવાનો ગુનો નોંધી પોલીસે મૃતકના પતિ,સાસુ-સસરા સહિત ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના મતે  રાત્રે આ પરિવારમાં ઝગડો થયો હતો અને ત્યારબાદ પરિવારના તમામ સદસ્યો ઉંઘવા ગયા ત્યારે પરિણીતાએ પુત્રીની હત્યા કરી પોતે આપઘાત કર્યો હતો અને જેથી બે અલગ અલગ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

(5:23 pm IST)