Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

કુમાર કન્યા વિદ્યાલયના બાળકો-બાલિકાઓએ વિશ્વ ચકલી દિનની ઉજવણી કરી

ઉના તા. ૨૦ આજ તા ૨૦//૨૦૨૧ ના રોજ વિશ્વ ચકલી દિન નિમિતે શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ-દ્રોણેશ્વર માતુશ્રી આર. ડી.વરસાણી કુમાર-કન્યા વિદ્યાલય ખાતે .પૂ ગુરુવર્ય શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને પશુ પક્ષીઓના રક્ષણની ભાવના કેળવાય તે માટે પ્રિન્સિપાલ મહેશભાઇ જોશીના માર્ગદર્શન સાથે શિક્ષકો દ્વારા વિશ્વ ચકલી દિન નિમિતે દરેક વિદ્યાર્થોએ પોતાના ઘરની આજુબાજુના વિસ્તારમાં ચકલીઓને માળાની અને દાણા પાણીની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો કરવા જાગરુકતા આપવામાં આવી હતી. અને માટે સિદ્ધાર્થ બટુકભાઈ કસવાળા (સીતારામ સ્ટીલ, ઉના) વાળા તરફથી ગુરુકુલના દરેક બાળકોને ચકલીના માળા ભેટ આપવામાં આવ્યા હતા.

(3:58 pm IST)