Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

આઇઆઇટી મુંબઇમાં અભ્‍યાસ કરતો પાલનપુરના વિદ્યાર્થી આર્યન મોદીને ત્રણ દિવસ પહેલા અજાણ્‍યા શખ્‍સો દ્વારા અપહરણ કરી ઢોર માર મારતા સારવાર દરમિયાન મોત

પાલનપુરમાં પરિવારજનો અને શહેરીજનો દ્વારા કેન્‍ડલ માર્ચઃ ન્‍યાય મળે તે માટેની બુલંદ માંગ કરાઇ

બનાસકાંઠા: પાલનપુરમાં ત્રણ દિવસ પહેલા આર્યન મોદી નામના વિધાર્થીનું અપહરણ કરાયા બાદ ઢોર માર મારી ઝેર પીવડાવતા સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આર્યન મોદીને ન્યાય મળે તે માટે આજે પાલનપુરના ગુરુનાનક ચોકમાં હજારો લોકોએ એકત્રિત થઈ રામધૂન બોલાવી કેન્ડલ માર્ચ કરી આરોપીઓની ઝડપી આર્યનને ન્યાય આપવા માંગ કરી હતી.

પાલનપુરની આદર્શ કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિધાર્થી આર્યન મોદીનું ત્રણ દિવસ પહેલા અજાણ્યા શખ્સો દ્વારા ડેરી રોડ ઉપરથી કારમાં અપહરણ કરીને તેને ઢોર માર મારી તેને કોલેજ આગળ છોડી મુકતા ગંભીર હાલતમાં વિધાર્થીને તેના પરિવાર દ્વારા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

જોકે સારવાર દરમિયાન વિધાર્થીનું મોત નિપજતાં મોદી સમાજ સહિત અન્ય સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે બનાવને ત્રણ દિવસ જેટલો સમય વીતી જવા છતાં પોલીસ દ્વારા હજુ સુધી આરોપીઓની અટકાયત કરતા પાલનપુરના સર્વ સમાજના લોકોમાં ભારે રોષ ફેલાતા આજે પાલનપુર શહેરના ગુરુનાનક ચોકમાં મોદી સમાજ સહિત અન્ય સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા અને ગુરુનાનક ચોકમાં બેસીને આર્યન મોદીને ન્યાય મળે તે માટે રામધૂન બોલાવી હતી અને કેન્ડલ માર્ચ યોજીને આર્યન મોદીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી અને ઘટનાને લઈને ભારે રોષ ઠાલવ્યો હતો.

આર્યન મોદીને ન્યાય મળે તે માટેની માંગ કરીને નારા લગાવ્યા હતા ,જોકે શહેરના મુખ્ય ચોકમાં હજારો લોકો ઉમટી પડતાં ટ્રાફિક જામ સર્જાયો હતો,મૃતકના પરિવારજનો અને શહેરના લોકોએ પોલીસ તાત્કાલિક આરોપીઓને ઝડપી કડકમાં કડક સજા આપાવે તેવી માંગ કરી હતી.

(6:11 pm IST)