Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

હિંમતનગરના કાંકરોલમાં ખેડૂતનો કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ

કોર્ટના આદેશના પગલે તંત્રએ ખેતરમાંથી રસ્તો ખુલ્લો કરવા કાર્યવાહી કરતા ખેડૂત ભોળાભાઈએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

હિંમતનગરના કાંકરોલમાં રસ્તા મામલે ભોળાભાઈ પટેલ નામના ખેડૂતે પત્ની સાથે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતાં પોલીસે અટકાવ્યા હતા  જોકે તેમની તબીયત લથડતા તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

 જાણવા મળ્યા મુજબ કાંકરોલની સીમમાં ઘઉંના વાવેતરવાળા ખેતરમાંથી રસ્તો ખુલ્લો કરવા તંત્રએ જેસીબીથી તોડફોડ શરૂ કરી ત્યારે પરિપારે પોતાની જમીન હોવાનો અને વારસમાં મળી હોવાનો દાવો કર્યો અને વર્ષોથી અહીં ખેતી કામ કરતાં હોવાનું કહ્યું. જોકે, તંત્રએ કોર્ટના આદેશને પગલે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી કરી ત્યારે ઉશ્કેરાયેલા ભોરાભાઈએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો.

(12:10 am IST)