Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

નાંદોદના ભરચરવાડામાં ગૌચરની જમીનમાં કોલેજ બાંધવા સામે વિરોધ

ગ્રામજનોએ રેલી કાઢી કલેટરને આવેદન પાઠવ્યું :જમીન ઉપર બાંધકામ થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી

 

રાજપીપળાના નાંદોદના ભરચારવાડામાં સરકારી ઈજનેર કોલેજ બાંધવા સામે ગ્રામજનોનો વિરોધ કર્યો છે. કોલેજની સૂચિત જગ્યા ગૌચરની હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું. જમીન પર બાંધકામ થશે તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. ગ્રામજનોએ રાજપીપળામાં રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ભચરવાડાના ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જુના સર્વે નંબર 572ની જગ્યા હાલ ટેકનીકલ શિક્ષણ નિયામક, ગુ.રા.ગાંધીનગર દ્વારા સરકારી ઇજનેરી કોલેજના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. જમીન ગૌચર છે.

(11:14 pm IST)