Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ઠાસરાના અવરંગપુરા નજીક સોસાયટીમાં વીજ થાંભલો નમી પડતા સ્થાનિકોને ભારે હાલાકી

ઠાસરા:ના અવરંગપુરા તરફ આવેલી સોસાયટીમાં વીજ થાંભલો નમી ગયો છે.જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ બાળકોનો જીવ જોખમમાં મૂકાયો છે.આ મુદ્દે સ્થાનિકોએ મધ્ય ગુજરાત વીજ કંપની ઠાસરાને લેખિતમાં રજૂઆત કરી હતી.તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.તેમજ કોઇ અધિકારીએ  તપાસ કરવાની પણ તસ્દી લીધી ન હોવાનું રહીશો આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે.

અવરંગપુરા તરફ આવેલી અમન સોસાયટીમાં કેટલાય સમયથી વીજ થાંભલો નમી ગયો છે.જેથી સોસાયટીમાં રહેતા ૫૦થી વધુ પરિવરોનો જીવ જોખમમાં મૂકાયો છે.સ્થાનિકોએ  વીજ થાંભલાને લઇને મધ્યગુજરાત વીજ કંપની ઠાસરામાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી.જેને મહિનો વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી. ઉપરાંત રહિશો દરરોજ તંત્રમાં ફોન કરીને વીજ થાંભલાને હટાવવા માટે કહે છે.ત્યારે તેઓ અનવના ગતકડાં કરીને છટકબારી અપનાવતા હોવાનું સ્થાનિકો  રોષ પૂર્વક જણાવી રહ્યા છે.
ઉપરાંત વીજ થાભલાની પાસેના મકાનમાં રહેતા કુરેશી પરિવાર આક્રોશ ઠાલવતાં જણાવી રહ્યા છે કે,અમે થાકી ગયા છે તંત્ર રજૂઆતો કરીને.રોજેરોજ જણાવ્યા છતાં વીજ કંપનીમાંથી કોઇ કાર્ય હાથ ધરવામાં આવી નથી.

 

(6:31 pm IST)