Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવસીઓ પ્રશાસનની સરાહનીય કામગીરી જોઈ ખુશ થયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલા પ્રવાસીઓ માટે પહેલી વખત પોલિયો રસીકરણ યોજાયું જેમાં ૪૯૧ પ્રવાસીઓના બાળકોને ટીપાં પીવડાવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશમાંથી પોલિયો નાબૂદ કરવા ફરી એકવાર પોલિયો રવિવારના રસીકરણ નો કાર્યક્રમ થયો જેમાં આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર નર્મદા જિલ્લામાં પોલિયો અભિયાન ચલાવામાં આવ્યું અને આરોગ્યની ટીમે દર વર્ષની માફક શાળાઓ, આંગણ વાડી ખાતે પોલિયોના બુથ બનાવી બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા.જોકે આ વખતે મુખ્ય વહીવટદાર અને જિલ્લા કલેકટર મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઈન્ટ સીઈઓ નિલેશ દુબેના પ્રયાસથી પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પોલિયો રસિકરણનું આયોજન થયું જેમાં ૪૯૧ થી વધુ પ્રવાસીઓના બાળકોએ રસીકરણનો લાભ લીધો.હતો

  જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલ,એડીએચઓ ડો.વિપુલ ગામીતના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાના 1674 જેટલા કર્મચારીઓની ટિમોં એ જિલ્લામાં 376 જેટલા બુથો બનાવી બાળકોને રસીકરણ પીવડાવવાની કામગીરી કરી જેમાં 19 જેટલા અલગ અલગ બુથોમાં એસ.ટી.બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળ પર પોલિયોની રસી પીવડાવી હતી.સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહેલીવાર બુથ ઉભું કરી ત્યાં ફરવા આવતા પ્રવાસીઓના બાળકોને પોલિયો રસી પીવડાવાઈ હતી.જેમાં ૪૯૧ જેટલા ઓરવસીઓના બાળકોએ લાભ લીધો હતો.

 સ્ટેચ્યું ઓફ યુનિટી પ્રશાસનની સરાહનીય કામગીરીને કારણે પ્રવાસીઓ ખુશ થયા જેમાં સ્મિતાબેન નામના પ્રવાસીએ જણાવ્યું હતું કે સાચા અર્થમાં યુનિટી પ્રશાસન અહીંયા આવતા પ્રવાસીઓ અને તેમના બાળકોની ખાસ કાળજી રાખે છે એ ખૂબ સારી બાબત છે.

(8:58 pm IST)