Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

રાજ્યમાં કોરોનાના વધુ 1,252 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 1,026 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 7 લોકોના મોત :મૃત્યુઆંક 4227 થયો : કુલ 2,17,935 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,34,289 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 220 કેસ સુરતમાં 166 કેસ,વડોદરામાં 142 કેસ, રાજકોટમાં 128 કેસ, ગાંધીનગરમાં 42 કેસ , મહેસાણામાં 32 કેસ,કચ્છમાં 38 કેસ,જામનગરમાં 26 કેસ,પંચમહાલમાં 23 કેસ,ખેડામાં 19 કેસ,જૂનાગઢમાં 18 કેસ બનાસકાંઠામાં 17 કેસ,ભરૂચ અને ભાવનગરમાં 16-16 કેસ : હાલ 12,127 એક્ટિવ કેસ:

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં આજે 1,026 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ  1,252 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1,026 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1252 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,34,289  થઇ છે જયારે આજે વધુ 1252 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,17,935 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 7 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4227 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 93,02 થયો છે

  રાજ્યમાં હાલ 12,127 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 63 છે. જ્યારે 12,064 લોકો સ્ટેબલ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 54,365 ટેસ્ટ  ટેસ્ટ થયા હતા અત્યાર સુધીમાં 89,99,087 ટેસ્ટ કરવામાં આવ્યા છે

  રાજ્યમાં  આજે 7 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 4, સુરત કોર્પોરેશન 2, અને બોટાદમાં 1 મળીને કુલ 7 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 1026 પોઝિટિવ કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 220 કેસ સુરતમાં 166 કેસ,વડોદરામાં 142 કેસ, રાજકોટમાં 128 કેસ, ગાંધીનગરમાં 42 કેસ , મહેસાણામાં 32 કેસ,કચ્છમાં 38 કેસ,જામનગરમાં 26 કેસ,પંચમહાલમાં 23 કેસ,ખેડામાં 19 કેસ,જૂનાગઢમાં 18 કેસ બનાસકાંઠામાં 17 કેસ,ભરૂચ અને ભાવનગરમાં 16-16 કેસ, નોંધાયા છે

(7:57 pm IST)