Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

વિધાનસભાનું શિયાળુ સત્ર મહાત્મા મંદિરમાં યોજાય તેવી શકયતા

વિધાનસભામાં રીનોવેશન થતું હોવાથી સ્થળમાં ફેરફાર કરાશે

અમદાવાદ :ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પહેલાં જાન્યુઆરી 2018મા શિયાળુ સત્ર બોલાવવામાં આવશે. ત્યારે હાલમાં વિધાનસભામાં રંગરોગાનનું રીનોવેશન કામ ચાલતું હોવાથી શિયાળુ સત્ર મહાત્મા મંદિર ખાતે યોજાવામાં આવે તેવી શકયતા વ્યક્ત કરાઈ છે રીનોવેશન પછી વિધાનસભા નવા રૂપરંગ સાથે તૈયાર થઈ જશે પછી ત્યાં સત્ર બોલાવાશે તેમ મનાય રહયું છે

(10:51 pm IST)