Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

વિદેશમાં લગ્ન કરવા તે રાષ્ટ્રભક્તિ નથી.;ભાજપના ધારાસભ્યે વિરાટ કોહલીની દેશભક્તિ પર સવાલ ઉઠાવ્યો

કોહલી ભારતમાં નામ અને દામ બંને કમાયો. તેમ છતાં તેમણે ઈટાલી જઈ લગ્ન કર્યા :ધારાસભ્ય પન્ના લાલ શાક્યએ કોહલી અને અનુષ્કાના લગ્ન પર વિવાદીત નિવેદન કર્યું

અમદાવાદ :મધ્યપ્રદેશના ગુના વિસ્તારના ભાજપના ધારાસભ્ય પન્ના લાલ શાક્યએ કોહલી અને અનુષ્કાના લગ્ન પર વિવાદીત નિવેદન કર્યું છે. તેમણે કોહલીની દેશભક્તિ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, વિદેશમાં લગ્ન કરવા તે રાષ્ટ્રભક્તિ નથી.

   એક કાર્યક્રમમાં પન્ના લાલ શાક્યએ કહ્યું કે, કોહલી ભારતમાં નામ અને દામ બંને કમાયો. તેમ છતાં તેમણે ઈટાલી જઈ લગ્ન કર્યા.તેમણે ભારતમાં લગ્નનું આયોજન કેમ ના કર્યુ? તેમની રાષ્ટ્રભક્તિ નથી. તેમણે કહ્યું કે, ધરતી પર ભગવાન રામ અને શ્રીકૃષ્ણએ લગ્ન કર્યા હતા પરંતુ કોહલીએ ઈટાલી જઈ લગ્ન કર્યા.આથી તે રાષ્ટ્રભક્ત હોઈ શકે.

(10:02 pm IST)