Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોર્પોરેશનની ૧૪૦ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ

કોરોના વિસ્ફોટ બાદ એએમસી હરકતમાં : સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ભીડવાળી જગ્યાઓ પર પગલા

ગાંધીનગર,તા.૧૯ : અમદાવાદમાં ફરીથી કોરોના સંક્રમણનાં આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જેના કારણે એએમસી હરકતમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ભીડવાળી જગ્યાઓ પર જઇને કાર્યવાહી કરવા માટે ૧૪૦ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે. નોંધનીય છે કે, કોરોનાના કેસો વધતાં ડો. રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ બુધવારે બપોર બાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોને કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે ઉતારી દેવામાં આવી છે. દિવાળીમાં લોકોનાં ટોળેટોળા બાદ આટલા દિવસો પછી કાર્યવાહીના જવાબમાં સોલિડ વેસ્ટ ડિરેકટર, હર્ષદ સોલંકીએ જણાવ્યું હતુ કે, દિવાળીમાં લોકોને આર્થિક નુકશાન જાય તે માટે પહેલા કામગીરી કરવામાં આવી હતી. હવે જો ભીડ થશે તો તમામ એકમો પર કાર્યવાહી થશે.

સંક્રમણ વધ્યુ છે તો લોકો સહકાર આપે. બુધવારે મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત પારસી અગિયારી પાસેની પાણીપુરી, કાંકરિયા માસીની પાણીપુરીની દુકાન પર ભીડ ભેગી થતાં બંધ કરાવી દેવામાં આવી હતી. એસજી હાઇવે પર વાઈડ એન્ગલ પાસે બર્ગર કિંગમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતાં તેને સીલ મારવામાં આવી હતી. અલગ અલગ વિસ્તાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો કોરોનાની ગાઈડલાઈન પાલન માટે ઉતારી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાનો કહેર ફરીવાર થયો છે. બુધવારનાં આંકડા પ્રમાણે, ૨૪ કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ ૨૨૦ નવા કેસ નોંધાયા હતા.

જ્યારે દર્દીના મોત થયા હતા. તેમજ કુલ ૨૨૧ દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૧૭ નવેમ્બરની સાંજથી ૧૮ નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં ૨૦૭ અને જિલ્લામાં ૧૩ નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં દર્દીના અને જિલ્લામાં મોત થયા છે. તેમજ શહેરમાં ૨૦૫ અને જિલ્લામાં ૧૬ દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સાથે શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૪૬,૦૨૩ થયો છે. જ્યારે ૪૦,૭૩૯ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક ,૯૪૯ થયો છે.

(7:45 pm IST)