Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

અમદાવાદ સાબરમતી જેલમાંથી અલ્પેશ કથીરિયાનો સુરત ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સપોર્ટ વોરંટથી કબ્જો મેળવ્યો

ક્રાઈમબ્રાંચની બહાર પાસના કાર્યકરોએ સૂત્રોચ્ચારો કર્યા.

સુરતના અમરોલીમાં રાજદ્રોહ મામલે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનો સુરત ક્રાઈમ બ્રાંચે કબજો મેળવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચ અલ્પેશ કથીરિયાને અમદાવાદથી ટ્રાન્સફર વોરંટથી સુરત લાવી ત્યારે પાસના કાર્યકરોએ સૂત્રોચ્ચારો કર્યા હતા

  ક્રાઈમબ્રાંચની બહાર પાસના કાર્યકરો ભેગા થયા હતા. અલ્પેશ અમદાવાદમાં રાજદ્રોહ કેસ મામલે સાબરમતી જેલમાં બંધ હતો. ત્યારે અમરોલીમાં રાજદ્રોહ કેસ મામલે તપાસ કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાંચે ટ્રાન્સપોર્ટ વોરંટથી અમદાવાદથી સુરત લાવ્યા છે.

 

(10:37 pm IST)