Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ફરીવાર નાયબ મુખ્યમંત્રીની બાદબાકી :સ્ટેચ્યુ ઓફ યુનિટીના હોર્ડિંગમાંથી નીતિનભાઈ ગાયબ

પ્રચાર-પ્રસારના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં નીતિન પટેલને ફરીકોરાણે મુકાયા !

ગાંધીનગર: રાજ્યમાં સરદાર પટેલની જન્મજયંતી ૩૧ ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાના અનાવરણ માટે રાજ્ય સરકાર ધ્વારા યુધ્ધના ધોરણે તૈયારીઓ કરે છે ત્યારે પ્રચાર-પ્રસારના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં ગુજરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફરી એકવાર હોર્ડિંગ્સ વગેરેમાંથી ગાયબ કરવામાં આવતા ભાજપ સરકારની યુનિટી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.

આગામી ૩૧ ઓક્ટોબરે સરદાર પટેલના જન્મદિને સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના હસ્તે થનારા આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણના કાર્યક્રમાં અંગે મુખ્યમંત્રી સહીત મંત્રીમંડળના સભ્યો અને અન્ય ધારાસભ્યો સહીત ઉચ્ચ અધિકારીઓ ધ્વારા વિવિધ રાજ્યોમાં જઈ રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે.

(10:29 pm IST)