Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

આણંદ તાલુકાના ખેરડામાં અગમ્ય કારણોસર સગીરાએ કુવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું

આણંદ: તાલુકાના ખેરડા ગામે રહેતી દક્ષાબેન કનુભાઈ તળપદા (ઉ. વ. ૧૭)એ ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે ગામના ભગાનો ડોલ ખાતે આવેલા કૂવામાં પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. 
ઘટનાની જાણ પરિવારજનોને થતાં જ તેઓએ તુરંત જ ખંભોળજ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસની ટીમ આવી પહોંચી હતી અને આણંદ ફાયરબ્રીગેડને જાણ કરતાં આજે સવારે ફાયરબ્રીગેડના તરવૈયાઓએ કૂવામાં ઉતરીને લાશને બહાર કાઢી હતી. ખંભોળજ પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરતાં દક્ષાબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી જેને લઈને આપઘાત કર્યો હોવાની શક્યતા છે.

(5:28 pm IST)