Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કેસમાંથી ખસી જજો નહિ તો આખા પરિવારનું અપહરણ કરી મારી નાંખશું

ધારાશાસ્ત્રી મૌલિકભાઈ શેઠને ભૂંડી ગાળો સાથે ધમકીપત્ર મળ્યોઃ પત્ની- પુત્રી ઉપર દુષ્કર્મની પણ ધમકીઃ રજે રજની ગતિવિધિથી માહિતગાર

અમદાવાદઃ હાઈકોર્ટમાં ટ્રસ્ટ અને જમીનોની મેટરની પ્રેકિટસ કરતાં એડ્વોકેટ મૌલિક શેઠને કેસમાંથી ખસી જવા અને જો તેમ ન કરે તો  તેમની પત્ની અને પુત્રીનું અપહરણ કરી તેમના પર દુષ્કર્મ આચરવાની, તેમના પુત્રનું અપહરણ કરવાની અને દિવાળી સુધીમાં આખા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. પત્ર મળતાં જ વસ્ત્રાપુરના ગોયલ કોમ્પ્લેકસમાં ઓફિસ ધરાવતા મૌલિક શેઠે બુધવારે રાત્રે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી તેમને અને પરિવારને પ્રોટેકશન પુરૃં પાડવાની માગ કરી છે.

પલોડિયામાં ઈલેકટ્રોથમ ફેકટરીની બાજુમાં વ્રજ ગોપી વિલા- ૨માં રહેતાં એડવોકેટ  મૌલિક સતીષભાઈ શેઠ વસ્ત્રાપુરના ગોયલ કોમ્પ્લેકસમાં ઓફિસ ધરાવે છે. બુધવારની બપોરે દોઢ વાગ્યે મૌલિકભાઈ તેમની ઓફિસમાં હાજર હતા ત્યારે પોસ્ટમેને રિસ્પેશન ટેબલ પર એક લેટર આપ્યો હતો. જે લેટર ખોલીને મૌલિકભાઈએ વાંચતા કોઈ અજાણ્યા ઈસમે અત્યંત ગલિચ ભાષામાં ધમકી આપી કોઈ મેટરમાંથી ખસી જવા માટે ધમકી આપવામાં આવી છે, પરંતુ કઈ મેટર છે તેનાથી ખુદ મૌલિકભાઈ પણ અજાણ છે.

(11:30 am IST)