Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ધનસુરા તાલુકાના પાટ્યો ગામે સાડા ચાર વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી ખેતરના કુવામાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી મચી જવા પામી

ધનસુરા:તાલુકાના પાટયો ગામે રહેતા ગોવિંદભાઈ કાંતીભાઈ રાઠોડ મૂળ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના લાલપુર ગામના રહીશની સાડા ચાર વર્ષની માસુમ બાળકી ગુરૂવારે બપોરે ઘઉંની પોટલી લઈ ખાવાનું પડીકું લેવા ગયા બાદ ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી.પરંતુ કોઈ જ પત્તો ન લાગતાં ધનસુરા પોલીસ સ્ટેશને કોઈ ઈસમે કોઈ જગ્યાએ સંતાડી રાખી કોઈ બદદાનત થી કૃત્ય કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયાની બાળકીના પિતાએ ફરીયાદ નોંધાવી હતી. ત્યાર બાદ બીજા દિવસે શુક્રવારના રોજ સવારે ૯ વાગ્યાના સુમારે ફાટવાડા નામથી ઓળખાતા વાંઘા કોતર પાસે જયંતીજી શંકરજી ના ખેતરના કુવામાંથી પાણી પર તરતો બાળકીનો મૃતદેહ મળી આવતા આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી જતા ફીટકારની લાગણી સાથે ભારે રોષ જોવા મળી રહયો હતો.  જયારે ધનસુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના સ્થળે પોલીસ સ્ટાફ સાથે,એલસીબી ર્ડાગ સ્કવોડએફએસએલબાયડ પીઆઈ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.અને માસુના મૃતદેહને ધનુસુરા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. જયારે સમગ્ર કેસની તપાસ બાયડ પીઆઈ ચલાવી રહયા છે. આ ચકચારી ઘટના સદંર્ભે કૃત્ય કરનાર સામે ફીટકારની લાગણી સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી.

(5:01 pm IST)