Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રાજ્યમાં કોરોના થાક્યો :નવા 5246 કેસ નોંધાયા : વધુ 9001 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 71 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 9340 થયો : કુલ 6,69,490 લોકોએ કોરોનાને હરાવ્યો: રિકવરી રેઇટમાં સતત વધારો

અમદાવાદમાં 1324 કેસ, વડોદરામાં 641 કેસ, સુરતમાં 390 કેસ, રાજકોટમાં 307 કેસ, જૂનાગઢમાં 293 કેસ, જામનગરમાં 213 કેસ,પંચમહાલમાં 158 કેસ, આણંદમાં 149 કેસ, અમરેલીમાં 136 કેસ, સાબરકાંઠામાં 133 કેસ,ગીર સોમનાથમાં 130 કેસ,ગાંધીનગરમાં 112 કેસ, દાહોદમાં 109 કેસ,પોરબંદરમાં 108 કેસ,કચ્છમાં 104 કેસ, ખેડામાં 99 કેસ, ભરૂચમાં 98 કેસ,મહેસાણામાં 78 કેસ, બનાસકાંઠા, ભાવનગર અને પાટણમાં 77-77 કેસ,વલસાડમાં 66 કેસ નર્મદામાં 60 કેસ નોંધાયા હાલમાં 92,617 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 10 હજારથી ઓછા કેસ નોંધાતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં 5246 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 9001 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 5246 કેસ નોંધાયા છે જયારે વધુ 9001 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 6,69,490 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 71 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 9340 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 86,78 ટકા થયો છે

     રાજ્યમાં હાલ 92617 એક્ટિવ કેસ છે, જેમાંથી 742 લોકો વેન્ટિલેટર પર અને 91875 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 6,69.490 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

    રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 5246 કેસમાં અમદાવાદમાં 1324 કેસ, વડોદરામાં 641 કેસ, સુરતમાં 390 કેસ, રાજકોટમાં 307 કેસ, જૂનાગઢમાં 293 કેસ, જામનગરમાં 213 કેસ,પંચમહાલમાં 158 કેસ, આણંદમાં 149 કેસ, અમરેલીમાં 136 કેસ, સાબરકાંઠામાં 133 કેસ,ગીર સોમનાથમાં 130 કેસ,ગાંધીનગરમાં 112 કેસ, દાહોદમાં 109 કેસ,પોરબંદરમાં 108 કેસ,કચ્છમાં 104 કેસ, ખેડામાં 99 કેસ, ભરૂચમાં 98 કેસ,મહેસાણામાં 78 કેસ, બનાસકાંઠા, ભાવનગર અને પાટણમાં 77-77 કેસ,વલસાડમાં 66 કેસ નર્મદામાં 60 કેસ,નવસારીમાં 59 કેસ,દેવભૂમિ દ્વારકામાં 58 કેસ નોંધાયા છે ,

(7:33 pm IST)