Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

પૂ, મોરારીબાપુએ ભગવાન શામળિયાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા

મંદિર પરિસરમાં નિહાળતા ભક્તોએ મોરારીબાપુના આશીર્વાદ લીધા

અરવલ્લી જીલ્લાની ગિરિમાળામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે દર પૂનમે ભક્તોનું ઘોડાપુર ઉમટી મંદિરમાં બિરાજમાન કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. વૈશાખી પૂનમે કથાકાર પૂ, મોરારી બાપુ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોરારી બાપુને શામળાજી મંદિર પરિસરમાં નિહાળતા ભક્તોએ મોરારીબાપુના આશીર્વાદ લીધા હતા.

 કથાકાર મોરારી બાપુ રાજસ્થાનમાં કથા કરવા જતા પહેલા શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શન કરવા પહોંચતા શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી આવકાર્યા હતા. મોરારીબાપુ દર્શન કરી થોડો સમય પરિસરમાં રોકાણ કરી રાજસ્થાન જવા રવાના થયા હતા.

(9:07 pm IST)