Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

બનાસકાંઠાના પાંથાવાડામાં પાણીપુરી ખાદ્યા બાદ 50થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ : આરોગ્ય વિભાગમાં દોડધામ

બનાસકાંઠાના પાંથાવાડામાં પાણીપુરી ખાવાથી એક સાથે 50થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નાના બાળકોથી લઈને મોટા લોકને ફૂડ પોઈઝનિંગની અસર થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.

  મળતી વિગત મુજબ  બનાસકાંઠાના પાંથાવાડામાં પાણીપુરી ખાવાથી ફુડ પોઈઝનિંગની અસર થઈ છે. 2 દિવસમાં નાના બાળકો સહિત 50 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.જો કે અસરગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.

 આરોગ્ય વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે પાણીપુરી ખાવાથી આ તમામ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું.

(2:03 pm IST)