Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 60 હજારની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

ઉમરેઠ:તાલુકાના ભાલેજ ગામે ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરો બંધ મકાનનું તાળુ તોડીને અંદરથી રોકડ તેમજ સોનાના દાગીના મળીને કુલ ૬૦ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી ભાલેજની એસએમ વીલા સોસાયટીમાં રહેતા જફરહુસેન ઝહીરમીંયા ઠાકોર ગઈકાલે પોતાની પત્ની સાથે આણંદ ખાતે રહેતા સંબંધીને ત્યાં આવ્યા હતા. દરમ્યાન રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને જાળીને મારેલુ તાળુ તોડીને અંદર પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલી તિજોરી ખોલી નાંખી હતી. ત્યારબાદ અંદરનો બધો સામાન વેરવિખેર કરી નાંખીને રોકડા ૨૦ હજાર તેમજ સોનાના દાગીના મળીને કુલ ૬૦ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

(5:26 pm IST)