Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

દરેક કચેરીના પ્રવેશદ્વારે હેન્ડ સેનેટાઇઝર ફરજિયાત : સરકારી પ્રવાસો પર નિયંત્રણ

વિડીયો કોન્ફરન્સનો મહત્તમ ઉપયોગ કરવા અને તાવના લક્ષણવાળા કર્મચારીને રજા આપવા સૂચના

રાજકોટ, તા. ૧૯ : રાજયના સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ શ્રી કમલ દયાની (આઇ.એસ.એસ) એ કોરોના વાઇરસ સંદર્ભે સૂચનાનો પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે. જેની ઝલક નીચે મુજબ છે.

* દરેક કચેરી/ સંકુલ/ સચિવાલયના દરેક બ્લોકના પ્રવેશદ્વાર નજીકમાં યોગ્ય જગ્યાએ હેન્ડ સેનેટાઇઝર (હાથ સાફ કરવાની સુવિધા) ફરજિયાતપણે મૂકવું.

* નોવેલ કોરોના વાઇરસનું સંક્રમણ ન થાય તે માટે અધિકારીઓની રૂબરૂ મુલાકાત, બેઠક વગેરે ટાળી વીડીયો કોન્ફરન્સનો વધુમાં વધુ ઉપયોગ થાય તે પ્રકારનું આયોજન કરવું.

*   દરેક વહીવટી વિભાગે સંબંધિત અધિકારી / કર્મચારીઓને બિનજરૂરી સરકારી પ્રવાસો ટાળવા.

*   નોવેલ કોરોના વાઇરસના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા વધુમાં કામગીરી સરકારી ઇ-મેઇલ પર થઇ શકે તે મુજબની વ્યવસ્થા સર્વે વિભાગે ગોઠવવી. 

*   ફલૂ જેવા રોગોના લક્ષણો ધરાવતા કર્મચારી કે અધિકારીઓને સત્વરે યોગ્ય આરોગ્ય સુવિધા આપવામાં આવે તેમજ કરોના વાઇરસ/ ફલૂ જેવા લક્ષણો જણાય તો Home-quarantine /Self-quarantine રાખવું અને જે તે વિભાગના કર્મચારીને Self-quarantine માટે સૂચના પણ આપવી, જેથી અન્ય ને લાગતો ચેપ અટકી શકે. દરેક કર્મચારી અધિકારીએ પોતાના આરોગ્યની સભાનતા બાબતે પૂરતી કાળજી રાખવી.

(11:40 am IST)