Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

અછતગ્રસ્ત કચ્છમાં જઇને મુખ્યપ્રધાન સમીક્ષા કરશે

આજે એક દિવસની મુલાકાતે

અમદાવાદ,તા.૧૮ : મુખ્યમંત્રી વિજય રૂપાણી અછતગ્રસ્ત કચ્છ જિલ્લાની સોમવારે ૧૯ નવેમ્બરે  એક દિવસીય મુલાકાત લેશે. વિજય રૂપાણી આવતી કાલે સવારે કચ્છ પહોંચીને ભુજીયા ડુંગર પર નિર્માણાધિન સ્મૃતિવનની મુલાકાત લેશે અને કામગીરીની સમીક્ષા હાથ ધરશે. મુખ્યમંત્રી બપોરે ૧૨ વાગ્યે માધાપર ગૌ સંરક્ષણ સંસ્થાનની ગૌશાળા પાંજરાપોળની માધાપર ખાતે મુલાકાત લેવાના છે. તેઓ બપોરે ૧૨.૪૫ વાગ્યે ભુજ પહોંચીને જિલ્લાના અધિકારીઓ સાથે અછત તેમજ પાણીની સ્થિતિની સમીક્ષા કરી સ્થિતિનો ક્યાસ મેળવશે. વિજય રૂપાણી સાંજે ગાંધીનગર પરત આવશે.

(9:55 pm IST)