Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

મગફળીની ખરીદીમાં ખડૂતોસ સાથે ક્યારેય ગેરરીતિ નહિ થાય :સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે ગોઠવી છે :મુખ્યમંત્રી વિજયભાઈની ખાતરી

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ મગફળીની ખરીદી અંગે ખેડૂતો સાથે ક્યારેય ગેરરીતિ નહીં થાય એવું  સ્પષ્ટ પણે જણાવ્યું છે. રાજ્યમાં ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં એક ટકો પણ ખોટું કે ગેરરીતિ ન થાય તે  માટેની સંપૂર્ણ પારદર્શી ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા સરકારે ગોઠવી છે.

    આ વર્ષે નાગરિક પુરવઠા નિગમને મગફળી  ખરીદીની જવાબદારી સોંપી છે. તેમજ એ.પી.એમ.સીમાં પણ કોઇ ખેડૂતનો સમય ન બગડે ક્વોલિટી ગુણવત્તાની   તેમજ વજન તોલ માપ વગેરેની પણ ચોકસાઈ રાખવામાં આવે છે તે વ્યવસ્થા પણ કરી હોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું  હતું.

 

(5:51 pm IST)