Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સુરતના વરાછામાં ઉમિયાધામમાં 35 હજાર દીવડાની મહાઆરતી :દિવ્ય દ્રશ્ય

હાર્દિક પટેલ સહીત કેબિનેટ મંત્રી,સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતમાં હજારો પાટીદારોએ લીધો અલૌકિક લ્હાવો

સુરતમાં નવરાત્રિની આઠમ નિમિત્તે ઉમિયાધામ ખાતે મહાઆરતી અને મશાલયાત્રાનું આયોજન થયેલ, આઠમની પવિત્ર રાત્રિએ પારંપરિક રીતે ગરબા, મશાલ અને 35 હજારથી વધુ દિવડાઓથી માતાજીની ભિન્ન રીતે મહાઆરતી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા હતાં

છેલ્લા 24 વર્ષથી યોજાતી આ મહાઆરતીમાં શહેરના શહેરના અગ્રણી, વ્યવસાયિકો સહિત 35 હજારથી વધુ લોકો ઉપસ્થિત હતા. રાજયના કેબીનેટ મંત્રી , સાંસદ અને ધારાસભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ હાજર રહ્યાં હતા.

(1:10 am IST)