Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સુંદરપુરા ગામમાં નજીવી બાબતે માથાકૂટ થતા દંડા વડે માર મારી ઇજા કરતા 04 વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકમાં આવેલા સુંદરપુરા ગામમાં નજીવી બાબતે બોલાચાલી થતા દંડા વડે માર મારી ઇજા કરતા કુલ ચાર શખ્શો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.

મળતી માહિતી મુજબ સુંદરપુરા ગામમાં રહેતા અંકીત માધુભાઇ વસાવા ની ફરિયાદ અનુસાર તેઓ અન્ય મિત્ર સાથે 17 સપ્ટેમ્બર એ સવારે 8 વાગે સ્મશાને દુધ મુકવા માટે ગયેલા તે વખતે અરૂણભાઇ નરેશભાઇ વસાવા ત્યાં તેમની સામે જોતો હતો તેની રીસ રાખી સ્મશાનેથી ધરે પરત આવતા હતા તે વખતે તેનુ ઉપરાણુ લઈ જીતેંદ્રભાઇ કાંતીભાઇ વસાવા એ તેમને ગમે-તેમ ગાળો આપી ડંડાનો એક સપાટો તેમને જમણી આંખની ઉપર માથાના ભાગે મારી દઈ  ઇજા પહોંચાડી તથા કાંતીભાઇ ઉકાભાઇ વસાવા અને કરૂણાબેન જીતેંદ્રભાઇ વસાવા એ તેમને તથા મિત્રને ઢીકા પાટુનો માર મારી એક બીજાની મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય આમલેથા પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:15 pm IST)