Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સુરતમાં જુદા જુદા બે વિસ્તારમાં પતિ સાથે રકઝક થયા બાદ બે મહિલાઓએ આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરમાંપતિ સાથે રકઝક બાદ અમરોલી અને  ચોકબજારમાં  બે મહિલાએ  જયારે ડીંડોલીમાં  દારૃ નહી પીવા માટે પુત્રએ  સમજાવ્યા બાદ પિતાએ પાંડેસરામાં માનસિક બિમારીના લીધે યુવાને ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના કોસાડ આવાસમાં રહેતી પ્રણિતા સુનીલ પંડિતો ગુરૃવારે રાતે  ફાંસો ખાઇ લીધો હતો.  તેનો પતિ તેની બે પુત્રી સાથે  ઘર નજીક ગણપતિ દાદાની આરતીમાંથી ઘરે પરત ફર્યો ત્યારે પ્રણિતા પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો  ખાધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે કહ્યુ કે પ્રણિતાનાં પતિ બી.આર.ટી.એસ બસના ડ્રાઇવર છે. તેના પતિએ  બીજા લગ્ન કર્યા  હતા. પત્ની સાથે અવાર નવાર ઝઘડો ચાલતો  હતો. આ સંજોગોમાં તેણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. આ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ઘરી છે. બીજા બનવામાં ચોકબજારમાં ઉદયનગરમાં રહેતી ૨૮ વર્ષીય શોભના ધનશ્યામભાઇ ઝાપડીયા ગત તા.૧૫મી સાંજે ઘરે ઝેરી દવા પી જતા સાવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં ગત રાતે મોતને ભેટી હતી. પોલીસે કહ્યુ કે શોભનાનો પતિ સાથે ઝઘડો થયો હતો. જેમાં તેને માંઠુ લાગી જતા પગલુ ભર્યુ હોવાની શકયતા છે. તેને બે સંતાન છે. તે અને તેનો પતિ હીરાનું કામ કરે છે. ચોબજાર પોલીસે તપાસ હાથ ઘરી છે.

(4:46 pm IST)