Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

નર્મદા જિલ્લામાં શુક્રવાર વધુ ૯ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૮૪૩ પર પોહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં શુક્રવારે નવા ૦૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા.

 આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.કશ્યપના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળા ના રજપૂત ફળીયા-૦૧ નાંદોદ તાલુકાના ભદામ-૦૧,નિકોલી-૦૧,જીતનગર- ૦૧, સિસોદ્રા-૦૧, ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વર -૦૧, કોઠી-૦૧,નાના પીપરિયા-૦૧, તિલકવાડા-૦૧,મળી નર્મદા જિલ્લા માં કુલ ૦૯ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૧ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૭ દર્દીઓ દાખલ છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૭૮૮ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. આજદિન સુધી જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૮૪૩ પર પહોચ્યો છે.આજે વધુ ૪૧૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(5:43 pm IST)