Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમદાવાદમાં એસટી બસ-રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવકોએ ઘટનાસ્થળેજ દમ તોડતા અરેરાટી

અમદાવાદ: શહેરમાં બેફાન વાહન હંકારવાના કારણે અકસ્માતના બનાવો વાૃધી રહ્યા છે. રામોલમાં એસટી બસના ડ્રાઇવરે બાઇકને ટક્કર મારતાં યુવકનું ઘટના સૃથળે મોત ાૃથયું હતુ. જ્યારે ખાડીયામાં રોડ ક્રોસ કરતી વખતે રિક્ષાની ટક્કરાૃથી અજાણ્યા યુવકને ગંભીર ઇજાઆ ેાૃથઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યુંં  છે.

આ કેસની વિગત એવી છે કે જશોદાનગરમાં નવી વસાહત ખાતે રહેતા મંજુલાબહેન .એમ. પરમારે જે ટ્રાફિક  ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમનો ૨૦ વષીય પુત્ર કિરણભાઇ પરમાર ગઇકાલે રાત્રે ૧૦. ૪૫ વાગે બાઇક લઇને રામોલ જઇ રહ્યો હતો, જયાં  ત્રિકમપુરા પાટિયા પાસે પૂર ઝડપે બસ ચલાવતાંએસટીબસના ડ્રાઇવરે બસના સ્ટીંયરિંગ પરનો કાબુ ગુમવી દીધો હતો અને બાઇકને ટક્કર મારતાં યુવક રોડ પર પટકાયો હતો માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. અકસ્માત કર્યા બાદ બસ મૂકીને ડ્રાઇવર નાસી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોધી ડ્રાઇવરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

(5:35 pm IST)