Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ભરૂચ જિલ્લાની પીજી ગ્લાસ કંપનીના લોકોના ટોળાએ છ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો : ત્રણના ઘટના સ્થળે મોત

લોકો લૂંટના ઇરાદે કંપનીમાં ઘૂસ્યા હોવાની શંકા

દક્ષિણ ગુજરાતના ભરુચ જિલ્લામાં પીજી ગ્લાસ તરીકે ઓળખાતી કંપનીમાં અજાણ્યા લોકોના ટોળાએ સિક્યુરિટી ગાર્ડી પર હૂમલો કર્યો હતો. આ હૂમલામાં ત્રણ જણના મોત નિપજ્યાં છે. ભરુચ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

 જાણવા મળતી વિગત ઉટિયાદરા ગામની શ્રીજી ગ્લાસ કંપનીમાં મંગળવારે મોડી રાત્રે 40 જેટલા અજાણ્યા શખ્સો ધૂસી ગયા હતા. અને 6 જેટલા સિક્યુરિટી ગાર્ડને બાંધીને માર માર્યો હતો. જેમાં બે સિક્યુરિટી ગાર્ડના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા 4 સિક્યુરિટી ગાર્ડ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું હતું. હાલ 3 સિક્યુરિટી ગાર્ડ સારવાર હેઠળ છે, જે પૈકી 2 સિક્યુરિટી ગાર્ડની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે

  . ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 40 જેટલા લોકો લૂંટના ઇરાદે કંપનીમાં ઘૂસ્યા હોવાની શંકા સેવાઇ રહી છે. જોકે પોલીસે આ મામલે કંપનીની આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી અને અને સારવાર લઇ રહેલા સિક્યુરિટી ગાર્ડના નિવેદન પણ લેવામાં આવશે.

(12:11 pm IST)