Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

સરકારમાં સૌથી વધુ અન્ય પછાત વર્ગ- OBC મંત્રીપદે હોવાનો પ્રચાર : પીએમ મોદીના જન્મદિને ગામેગામ રામજી મંદિરોમાં સમુહ આરતી

17 સપ્ટેમ્બરને શુક્રવારે ગામેગામ રામજી મંદિરોમાં મોટા સમુહમાં રામભક્તોને જોડીને સમુહ આરતી થશે

અમદાવાદ :  ભાજપ દ્વારા મોદી સરકારમાં સૌથી વધુ અન્ય પછાત વર્ગ- OBC મંત્રીપદે હોવાનો પ્રચાર થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ આ સમુહના ત્રણેય મંત્રી પછાત વર્ગોના જ્ઞાતિ સમાજોની ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓને સાંકળીને જન આર્શિવાદ યાત્રા કરી રહ્યા છે. તેવામાં પ્રદેશ ભાજપે વડાપ્રધાન મોદીના જન્મદિવસ- 17 સપ્ટેમ્બરને શુક્રવારે ગામેગામ રામજી મંદિરોમાં મોટા સમુહમાં રામભક્તોને જોડીને સમુહ આરતી કરવા કહ્યુ છે. મહામંત્રી ભાર્ગવ ભટ્ટની સહીથી વહેતા થયેલા પરિપત્રથી ગુજરાત ભાજપમાં જાણે વિધાનસભાની ચૂંટણી નજીક હોય તેવો માહોલ સર્જાયો છે.

(12:17 pm IST)