Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સુરતના મહિધરપુરામાં હીરાબજાર આસપાસની શેરીઓ સીલ કરવામાં આવી:લોકોની અવરજવર રોકવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો

સુરત:મહિધરપુરા હીરા બજારનો સમય વધારવામાં આવે એવી રજૂઆત ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરવામાં આવ્યા પછી, આજે હીરાબજાર આસપાસની શેરીઓને સીલ કરવામાં આવી હતી. લોકોની અને વાહનોની અવરજવર રોકવા માટે શેરીના નાકે પતરાં લગાડીને બંધ કરવામાં આવ્યાં છે.

મુખ્ય હીરાબજાર ચાલુ છે, તેને કોઈ સીલ મારવામાં આવ્યા નથી, એમ સુરત ડાયમંડ બ્રોકર એસો.ના પ્રમુખ નંદલાલ નાકરાણીએ પૂછપરછમાં જણાવ્યું હતું. કમિશનરને સમય વધારવા અમે ગઈકાલે કરેલી રજૂઆત બાબતે હજુ કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. આજે નિર્ણય થશે એવી શક્યતા અમે જોઇ રહ્યાં છે.

(5:34 pm IST)