Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

શિક્ષકો માટેના પરિપત્ર સ્થગિત નહિ, રદ કરો : ડો. મનીષ દોશી

રાજયવ્યાપી લડતના સમર્થનમાં કોંગી પ્રવકતાએ ઉપવાસ કરેલ

અમદાવાદ, તા. ૧૮ : શિક્ષકો ના ૪૨૦૦ ગ્રેડ પે માં શાળા અંગે રાજયના શિક્ષક સમુદાય ના જબરદસ્ત આક્રોશ છેલ્લા ૧૫ દિવસ કરતાં વધુ દિવસો થી રાજયવ્યાપી આંદોલનો દ્વારા લડાઈ ચાલતી હતી કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવકતા ડો મનિષ દોશી એ પ્રતિક ઉપવાસ કરીને  હું શિક્ષક ના સમર્થનમાં  જન આંદોલન ને સમગ્ર રાજયમાં વિવિધ વર્ગ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને રાજય સરકાર ને શિક્ષકો ને ન્યાય આપવો પડશે તે પ્રકાર નું વાતાવરણ ઉભું થયું હતું

ગુજરાત નિર્માણ માટે ૬૫૦૦૦ જેટલા નિષ્ઠા પૂર્વક કામ કરતા શિક્ષકોને અન્યાય કરતા પરિપત્ર જે સ્થગિત કરવાની રાજય સરકારે કરેલી જાહેરાત અપૂરતી હોવાથી તાત્કાલિક શિક્ષણ સમૂદાયને અન્યાય કરતો પરિપત્ર રદ કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશી એ જણાવ્યું હતું કે રાજયના શિક્ષણ વ્યવસ્થા માં સતત ગિરાવટ આવતી રહી છે શિક્ષણનું સ્તર કથળતું ગયું છે શિક્ષકોને અન્યાય કરતા ઙ્ગશિક્ષકોના સન્માનને ઠેસ પહોંચે તે ગુજરાતના ભવિષ્ય માટે નુકસાનકારક છે રાજય સરકાર તાકીદે પરિપત્ર રદ કરે અને ઙ્ગશિક્ષક સમુદાયને સંપૂર્ણ ન્યાય આપે તેવી માંગ લઈ કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં શિક્ષક સમુદાયો, શિક્ષણ વ્યવસ્થાના સુધારા માટે પ્રતિબધ્ધતા થી સમર્થન કરે છે ભાજપ સરકાર શિક્ષકોને અન્યાય કરતો પરિપત્ર રદ કરે તેવી માંગણી છે.

(1:05 pm IST)