Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સુરતના કતારગામમાં બેકારીથી કંટાળી રત્ન કલાકારે 5માં માળેથી ઝંપલાવી મોતને વ્હાલું કર્યું

સુરત:શહેરના કતારગામ રામજી નગરમાં એક રત્ન કલાકારે આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.સુત્રોના જણાવ્યા અનુસાર બેકારીથી કંટાળીને એક રત્નકલાકારે 5માં માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે. રત્નકકલાકારની આત્મહત્યાના કારણે આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ પોલિસને થતાં પોલિસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે. 

(5:17 pm IST)