Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ગરૂડેશ્વરને કેન્દ્રશાસિત બનાવવાની સરકારની કોઇ યોજના નથી.

મુખ્ય વહિવટદાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા દ્વારા ખુલાસો

અમદાવાદ :આગામી તા.31 મી ઓક્ટોબરે ગરૂડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાશે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષ ગાંઠે વડાપ્રધાન ઉપસ્થિત રહી ઘોષણા કરશે.તેવા અહેવાલ અંગે મુખ્ય વહિવટદારરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી,કેવડીયા દ્વારા જણાવાયું છે કે ભારતના અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોની જેમ ગરૂડેશ્વરને કેન્દ્રશાસિત બનાવવાની સરકારની કોઇ યોજના નથી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષ ગાંઠે વડાપ્રધાન ઉપસ્થિત રહીને આ પ્રકારની ઘોષણા કરશે તે બાબત સત્યથી વેગળી છે, જેની જાહેર જનતાને નોંધ લેવા મુખ્ય વહિવટદાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા તરફથી એક યાદીમાં જણાવાયું છે

(10:07 pm IST)