Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

દહેગામમાં સાઈબાબા મંદિરની બહાર વૃદ્ધ જીવન મરણની પથારીએ હોવા છતાં લોકોમાં માનવતાનો અભાવ

દહેગામ: શહેરના પ્રસિધ્ધ સાંઈબાબા મંદિરની બાજુમાં જ આ વૃધ્ધ કોણ જાણે કેટલા સમયથી બહાર આવી દશામાં પડેલા હશે તે ખબર નથી. આ વૃધ્ધ માણસની બાજુમાં જ નજીકના ગામડાઓમાં જવા માટેનું એક બસ સ્ટોપ છે. લાઈનમાં કરિયાણાથી માંડી નાસ્તાની દુકાનોની હારમાળા છે. 

સાંઈબાબાનું મંદિર હોવાથી ગુરૂવારે લોકોની ભીડ જામે છે પણ શું કોઈ માણસના મનમાં કેમ એવો વિચાર નહીં આવ્યો હોય કે આ ગરીબ લાચાર વૃધ્ધને એક કપડું તો ઓઢાડીને એનું શરીર ઢાંકીએ.. માત્ર લોકો જ નહીં પરંતુ તમામ રાજકીય પક્ષોના સરઘસ પોલીસ તંત્રની ગાડીઓ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને અનેક સરકારી વાહનો પણ આ જગ્યાએથી પસાર થાય છે પણ શું કોઈને આ વૃધ્ધ વ્યક્તિ નજકમાં નહીં ચઢયો હતો. 

(6:05 pm IST)